Posts Tagged ‘poems’

એક વાર કાન ને તાવ આવ્યો

Posted on August 31st, 2010 by gujaratikavita  |  2 Comments »

એક વાર કાન ને તાવ આવ્યો માતા જશોદાને ચિંતા માં લાવ્યો જશોદા ગયા વૈદ ને ઘેર કાન પર કોણ આ વાલે વેર વૈદે આવી ને ઉપચાર કર્યો માતા જશોદાને કાને ધર્યો કાન ના પ્રેમી ના ચરણ ની ચપટી ધૂળ કાન નો તાવ કરે પલ માં દુર નાનપ અનુભવે સૌ દેવા માં ધૂળ પછી તો તાવ [...]

પીરસતાં થાળી જરીક દાળ છલકી જાય

Posted on August 26th, 2010 by admin  |  1 Comment »

પીરસતાં થાળી જરીક દાળ છલકી જાય, ગુસ્સે થવાને બદલે ત્યારે એ મલકી જાય ! છાની પીડાને પારખી શકે, ઘૂંટાતી વેદનાને ચાખી શકે ! લાગણી અવ્યક્ત જાણી શકે, જગજિતની ગઝલ માણી શકે ! મૌનની લિપિને જે ઉકેલી શકે, સહજસ્પર્શે ભીતર જે ઉલેચી શકે ! આનંદમાં પૂર્ણત: ખીલી શકે ! ઉદાસીને એક ખભે ઝીલી શકે ! અજાણી [...]

વીરા!

Posted on July 8th, 2010 by admin  |  No Comments »

ઉડો હળવેકથી છે વિજ્ઞાનના પવન વીરા! જરા સંભાળજો હૈયા તણાં ઉપવન વીરા! ચૂમી ધરતી વતનની, આંબજો ગગન વીરા! નિશાનો ઉચ્ચ, છો તન-મનનુ હો દમન વીરા! પડે કિંમત ભલે પણ મૂલ્યોનું હો જતન વીરા! વિકાસો એય શું જ્યાં માણસાઈનુ પતન વીરા! ધરીને હામ કરજો તિમિરનુ હનન વીરા! પસારો તેજ ને વિશ્વમાં અમન વીરા! રહસ્યો વેદનાં ખૂલશે [...]

મેઘના મનામણા

Posted on January 25th, 2010 by gujaratikavita  |  7 Comments »

કવિતાઓ

Posted on November 11th, 2009 by admin  |  9 Comments »

સૌ જાય શેરબજારમાં

Posted on August 21st, 2008 by gujaratikavita  |  No Comments »

સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાં નોકરીઆ તે નોકરી છોડવાં કીધા રીપોટ સરકારમાં રે…જન સૌ જાય… મેતાજીઓએ મેલી નિશાળો વળગીઆ એ વેપારમાં રે… જન સૌ જાય… હોંશથી જઇને નાણાં હજારનો લાભ લે વાર લગારમાં રે … જન સૌ જાય… ધમધોકારથી શેરનો ધંધો ઉછળ્યો વર્ણ [...]

એક સવારે આવી

Posted on July 10th, 2008 by gujaratikavita  |  No Comments »

એક સવારે આવી, મુજને કોણ ગયું ઝબકાવી ? વસંતની ફૂલમાળા પહેરી, કોકિલની લઈ બંસી, પરાગની પાવડીએ આવી, કોણ ગયું ઉર પેસી ? કિરણ તણી કોમળ અંગુલિએ રમ્ય રચી રંગોળી, સોનલ એના સ્નેહસુહાગે કોણ રહ્યું ઝબકોળી ? -સુન્દરમ્

નીકળે કેટલા !

Posted on May 30th, 2008 by gujaratikavita  |  2 Comments »

શબ્દ ઘૂંટયા બાદ નવલા અર્થ નીકળે કેટલા ? અમથું ઊગે મૌન ત્યારે મર્મ નીકળે કેટલા ! દોસ્ત! સંબંધોનું ખોલી નાખ એકેએક પડ લાગણીના જો પછી સંદર્ભ નીકળે કેટલા ! વીજ પડશે કે પછી વરસાદ પણ વરસી પડે જોઈને એકાદ વાદળ, તર્ક નીકળે કેટલા ! બાણ વાગે તે પછી શાયદ અલગ પાડી શકો કેટલા છે સાધુ [...]

કેટલીક રચનાઓ ગુમનામ કવિની

Posted on May 27th, 2008 by gujaratikavita  |  No Comments »

લખી તો અમે હતી ગઝલો ઘણી, વહાવી હતી એમાં લાગણીઓ ઘણી, મોલ ના મળ્યા એના અમને સાચા, દાદ મળવાની હતી આશાઓ ઘણી, સમજ્યા માત્ર એને ગઝલ તેઓ, અમે તો વહવી’તી ઉર્મિઓ ઘણી ————————————————————————– ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું, કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું. જો કહું [...]

પહોંચી ન શકું એટલા એ દૂર નથી

Posted on May 27th, 2008 by gujaratikavita  |  1 Comment »

પહોંચી  ન  શકું એટલા  એ દૂર નથી પણ સાવ નિકટ આવવા આતુર નથી શ્વાસોમાં  સમાઉં તો  મને એ રોકી લે વહી  જાઉં હવામાં તો  એ મંજૂર નથી – જવાહર બક્ષી