Posts Tagged ‘meerabai’

હરિ વસે છે હરિના જનમાં

Posted on January 1st, 2009 by gujaratikavita  |  2 Comments »

હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈ વનમાં… ટેક ભેખ ધરીને તમે શીદ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં; કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો, પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ.. જોગ કરો ભલે જગન કરાવો, પ્રભુ નથી વ્યોમ કે હવનમાં; બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર, હરિ વસે છે હરિના જનમાં… હરિ.. મીરાંબાઈ