શેર – ચિનુ મોદી ‘ઈર્શાદ”
દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ? પથ્થરો પોલા નીકળશે શી ખબર ? મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર? એમની આંખો ભીંજાઈ’તી ખરી, આંસુઓ કોરા નીકળશે શી ખબર? __ ચિનુ મોદી ‘ઈર્શાદ”
દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ? પથ્થરો પોલા નીકળશે શી ખબર ? મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર? એમની આંખો ભીંજાઈ’તી ખરી, આંસુઓ કોરા નીકળશે શી ખબર? __ ચિનુ મોદી ‘ઈર્શાદ”
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો કહી ના શક્યો કોઇને કે ખસો. પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે અને દરવખત આપ ફિક્કું હસો. સમય નામની બાતમી સાંપડી પછી લોહી શું કામ નાહક ધસો: પડે ડાળથી પાંદડું, એ પછી ઇલાજો કરું એકથી એક સો. ઇલાજો કરું એકથી એક સો રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો. – ચિનુ મોદી [...]