તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી. ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને, મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી. મૃત્યુની ઠેસ [...]