Posts Tagged ‘gazal’

નો’તી ખબર

Posted on October 7th, 2010 by admin  |  1 Comment »

ડાળ આ વિશ્વાસની તૂટી જશે નો’તી ખબર, રાહબર મારા મને લૂંટી જશે નો’તી ખબર. વાસ્તવિકતા આખરે તો વાસ્તવિકતા હોય છે, કલ્પનાના મહેલ સૌ તૂટી જશે નો’તી ખબર. એક સરવાળો કર્યો તો બાદબાકી થઈ ગઈ, વય વધે તો આયખું ખૂટી જશે નો’તી ખબર. વેદનાની વાડ ઠેકી દોસ્તો મારા બધા, લાગણીનાં ફૂલને ચૂંટી જશે નો’તી ખબર. ઠાલવ્યું’તું [...]

ગઝલ

Posted on October 7th, 2010 by admin  |  1 Comment »

સાચે જ દોસ્તો ઘણા દરિયાવ નીકળ્યા, રણની વચાળે જળનો લઈ દેખાવ નીકળ્યા. અજવાળું શોધવા ગયા એ પુસ્તકો મહીં, આકાશ પામવાને લઈ નાવ નીકળ્યા. આ કેટલામી હાર પછીથી ખબર પડી, અહીં જીતવાના સાવ અલગ દાવ નીકળ્યા મન માનતું રહ્યું કે સદાથી અભિન્ન છે, આ દેહ અને પ્રાણ જુદા સાવ નીકળ્યા પથરાળ લાગતા હતા જે આદમી અહીં [...]

ઓળખ

Posted on October 7th, 2010 by admin  |  2 Comments »

કોઈ સાધુ-ફકીરને ઓળખ, તે પ્રથમ આ શરીરને ઓળખ. ધન વગર મોજશોખ માણે છે, કો’ક એવા અમીરને ઓળખ. આયખાનો અવાજ રૂંધે છે, એ અહમની લકીરને ઓળખ. તું ઝવેરી જ હોય સાચો તો, હેમ ઓળખ, કથીરને ઓળખ. તું જ આસન લગાવ અંતરમાં, તું જ તારા કબીરને ઓળખ. – હરજીવન દાફડા

લખાય છે

Posted on October 7th, 2010 by admin  |  No Comments »

સહેલો વિષય પસંદ કરીને લખાય છે, જીવતા ન જો લખાય મરીને લખાય છે. અક્ષરની જેમ લેતી રહે છે વળાંક એ વાંચો તો માછલીથી તરીને લખાય છે. શબ્દો જ ખાલી ખાલી હતાં શબ્દકોશમાં એમાં અનેક અર્થ ભરીને લખાય છે. કંઈ ના લખાય ત્યારે નથી હોતું કાંઈ પણ, એક શૂન્યતાથી એમ ડરીને લખાય છે. લખતો હતો કદીક [...]

ઝાકળના ઝગારા

Posted on October 7th, 2010 by admin  |  No Comments »

જે પળે આયુષ્યના ખાલી પટારા નીકળ્યા, સૌ ઉપરછલ્લા ઘડીભરના ઠઠારા નીકળ્યા. સ્હેજ જ્યાં ભીતર ગયા સંબંધ શું છે જાણવા, આ સગાંવ્હાલાંય ઝાકળના ઝગારા નીકળ્યા. કોણ બીજું જાય વરસી ? એ જ અંધાર્યા હતા, ભરદુકાળે વાદળાં જેવા મૂંઝારા નીકળ્યા. કેટલાં વરસો થયાં’તાં આમ તો એ વાતને, કોઈ ફૂંકીને ગયું તાજા તિખારા નીકળ્યા. કોઈની પાસે કરી બે [...]

ક્યાં વંચાય છે ??

Posted on October 7th, 2010 by admin  |  No Comments »

લાગણીઓ અટવાય છે, ચહેરા ક્યાં વંચાય છે !? હિમગિરિના શિખરે તડકો પણ ઠૂંઠવાય છે ! સાગર કાંઠે પવન જુઓ, ખુદ પરસેવે ન્હાય છે ! જાતને જાણે કટકે કટકે ચિંતા કોરી ખાય છે. સાવ સરળ જીવનમાં શાથી અઘરું સહુ વરતાય છે ? થૈ ભેગાં સૌ ‘આનંદ’ કરીએ, સાવ મફત વ્હેંચાય છે. – અશોક જાની ‘આનંદ’

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે

Posted on July 23rd, 2010 by gujaratikavita  |  2 Comments »

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે. ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે, એ મોતી નથી કે પરોવાઇ જાશે. નયન સાથ રમવા ન એને જવાદો હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે. મરણને કહો પગ ઉપાડે ઝડપથી, નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે. સિધાવો, ન ચિંતા કરો આપ એની ! કાંઇ કામમાં [...]

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ

Posted on July 13th, 2010 by admin  |  No Comments »

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ કે પછી તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ આયખાનો ઊજાગરો આખો મા આન્જી બેઠો છુ ચાલ તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ -હોશ

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે

Posted on April 3rd, 2010 by gujaratikavita  |  1 Comment »

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે, અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે; ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો, વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે. – ‘શૂન્ય’ પાલનપુરી

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી

Posted on March 10th, 2010 by gujaratikavita  |  3 Comments »

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી, અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી. ખામી તમારા રૂપમાં દેખાય છે હવે, પહેલાં હતી જે, એવી અમારી નજર નથી. ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં? આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી! પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું, તે [...]