મજાના મુક્તકો
પ્રસ્તુત છે કેટલાક લોકપ્રિય કવીઓ ના મુક્તકો… —————————————— જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી – સુરેન ઠાકર ‘મેહુલ’ —————————————— દર્દને ગાયા વિના રોયા કરો જિંદગી માણ્યા વિના ખોયા કરો બીક લાગે કંટકોની જો સતત ફૂલને ચૂંથો નહીં, [...]