….તો કહેવાય નહીં

આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે,
લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં.

આ કંપારી કલમની છે કે હાથની ખબર નથી,
મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં.

કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં,
સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં.

આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે,
તળિયે ક્યાંક શબ્દો પડ્યા હોય તો કહેવાય નહીં

જમાનાની દુર્દશા માટે, જો કે દુર્જનો જ નિંદાય છે,
કહેવાતા સજ્જનોનો ય હાથ હોય તો કહેવાય નહીં.

મંદિર, મસ્જિદ કે દેવળમાં હવે હું જતાં ડરું છું,
શેતાન ત્યાં પણ છુપાયેલો હોય તો કહેવાય નહીં.

મારા દોસ્તોની યાદીમાં જેઓનાં નામ મોખરે છે,
તેના શત્રુઓની યાદીમાં હું હોઉં તો કહેવાય નહીં.

જીવન-પરીક્ષાના કોયડા, સાચા ઉકેલી શક્યો નથી,
કૃપા-ગુણથી ‘હંસ’ પાસ થઈ જાય તો કહેવાય નહીં.

– એચ. બી. વરિયા

This entry was posted on Monday, September 19th, 2011 at 1:50 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

5 Responses to “….તો કહેવાય નહીં”

  1. RAHUL Says:

    really superb.

  2. shahin Says:

    શું કહું, આપ ની કવિતા ની તારીફ માં ,
    શબ્દો ઓછા પડી જાય તો કહેવાય નહિ,

  3. brijesh Says:

    very nice ……………..

  4. hardik vankar Says:

    truely say……..superb yaar……..

    મારા દોસ્તોની યાદીમાં જેઓનાં નામ મોખરે છે,
    તેના શત્રુઓની યાદીમાં હું હોઉં તો કહેવાય નહીં………….

    maja ni pankti…………!!

  5. Chandni Bhatt Says:

    mandir, masjid… pankti khub j saras.

Leave a Reply