જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

This entry was posted on Wednesday, March 10th, 2010 at 1:13 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી”

  1. Supriya Katpade Says:

    શાયરીની બધી લાઇનો લાજવાબ છે અને મોઢેથી તરત જ વાહ-વાહ નીકળે છે…………

  2. Dhira Malav Says:

    very thoughtful……..

  3. sejal parmar Says:

    khalilji tamara sangraho me vachya chhe.mane ‘saransh’khub gamyo chhe.pan tamne ek vat puchhu?me sambhadyu chhe tya sudhi premmaEGO PROBLRM na aave.to tamari gazalma kem prem sathee ego aave chhe?

Leave a Reply