Archive for January, 2010

નફરત છે મને…

January 26th, 2010

એક હતો નથુરામ અને બીજો સાવરકર,
પ્રણ લીધું અખંડ ભારતનું એમ રહ્યા અમર..

આજ સુધી એમની આત્માઓ મોક્ષ માટે ઝંખે,
ભાષાવાદી નાગ-”રાજો” દરરોજ એમને ડંખે..

જે ધરતી પર આવા સ્વપ્નદ્રષ્ટા અવતર્યાં,
કમનસીબે હવે વિઘટનકારી-”રાજ” તરવર્યાં..

એ ધરતી-પુત્રો આજે ભારત-પુત્રો ને મારે,
ભાષાવાદથી રાજનિતીની મેલી દુકાનો તારે..

એવું કહેતાં ગર્વથી ફરે-વોટ અમને આપો,
ભાષા અને સંસ્ક્રુતિ નો હું જ એક રખવાળો!!

અખંડ ભારત દુર રહ્યું,હયાત ભારત તોડી પાડો,
ભૈયો-સિંધો-મલ્લાઓ ને મુંબઇમાં થી જ કાઢો..

મુંબઇકર કહે “રાજ”-કર્તો અમારો એકદમ છે સાચો,
અમારા જેવાં ગુજરાતી-મરાઠી ની વ્યથા પણ તમે વાંચો..

રહેતા પેઢીઓથી અહિં-ગળથૂંથી ગુજરાતી-ગુર્જરી જ વતન,
જો કોઇ ધરતી-પુત્ર મારે અમને તો ખુશ થશે તમારું મન??

ભાગલા પાડો-રાજ કરો ની નિતી બહુ પુરાની છે,
આ નિતી એ ભારતમા ને સદિયો ગુલામી આપી છે..

જેમણે વાપરી આ નિતી તે આજ બદનામિ ભોગવે છે,
સદભાવી ને આખરે તો સકળ લોક-જન વંદે છે..

ધર્મ-જાતિ પર કર્યાં ટુકડાં ત્યાં સુધી તો ઠીક,
ભાષાવાદને છંછેડશો હવે તો નિકળી જશે ચીંખ..

-ચિન્મય જોષી.

મેઘના મનામણા

January 25th, 2010

poem

“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ

January 24th, 2010

“આવ તને મારા દીલની રાણી હું બનાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા માટે નાનકડો તાજમહેલ હું બનાવુ,
સૌંદર્ય રસ તારો ભરેલી કવિતા હું સંભળાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી ઝૂલ્ફોના વાદળમા ખોવાઈ હું જાઉ,
તારા ખોળામા માથુ મૂકી સમય વિતાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી કાચ જેવી કેડે કંદોરો હું પહેરાવુ,
તારા તનના ક્ષિતિજે સુરજ હું પ્રગટાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી આંખોમા પ્રતિબિંબ મારુ સજાવુ,
અધરોના મિલન ને શુ કામ હું અટકાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા સ્વાસની હૂંફને સ્પર્શતો હું જાઉ,
‘ના’ તારી દરેક, ‘હા’ મા હું પલટાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

લેતી-દેતી દુનિયાની અભરાઈએ હું ચડાઉ,
તુ મારી,ને હું તારો,મનમા બસ એજ વાત ઠસાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા મિલન કાજે ફીકર નથી કંઈપણ હું ગુમાવુ,
તારો સાથ મળે તો નવી દુનિયા હું વસાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ.”

- જૈમિન મક્વાણા- “બદનામ”

વાસી આમંત્રણ

January 21st, 2010

પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી

શ્રીમિત સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચરંજીવી પતંગના શુભલગ્ન

શ્રીમિત ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે

તા. 14 જાન્યુઆરી 2010 ના રોજ નિર્ધાર્યા છે.

તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપિતનો આનંદ લેવા
લૂંટણીયાઓ સિહત પધારી ઘોંઘાટમાં વ્રુદ્ધિ કરશોજી….

વિશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે……

અમૃતબિંદુ - ભજનો

January 21st, 2010

(રાગઃ ઉંચી તલાવડીની કોર પાણી ગ્યાતા પાણી ભરતાં રે જોયો સાયબો)
ઉંચી સ્વરુપ કેરી જ્યોત મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
સુરતાને સગપણના કોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
શબ્દ દેશના સળંગ શિખરે શુન્ય સાગરનો રાજવી,
અન્વય અનામી પુરે કોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
સુમતિ સૈયરની સાથે રુપગુણના દ્વાર ઉઘાડી,
પહેરી લીધો ગુરુગમનો મોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
મંદિરીયાને છેલ્લે શિખર સદગુરુ શાન બિછાવી,
ચુંથારામના આત્માનો છોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
———————————————————————-
(રાગઃ મારુ રણ તમે છોડાવો રે રણછોડરાયા)
મને અંતરદેશી મળીયા રે ભ્રમણાઓ ભાગી,
મારા મનામનોરથ ફળીયા રે વિટંબણાઓ ત્યાગી;
ભવ સાગરમાં ભટકાતો; મોહમાયની લાતો ખાતો,
પંચભુતોમાં ભટકાતો રે ભ્રમણાઓ ભાગી…. મને અંતરદેશી……
મારે અંતરમાં અજવાળું; હું બહાર કશુના ભાળું,
મારું સરી પડ્યું જગનું લારું રે ભ્રમણાઓ ભાગી…. મને અંતરદેશી…….
સદ્ ગુરુની શાંનકા વાગી; મારી અંતર જ્યોતિ જાગી,
ચુંથારામ રહ્યો અનુરાગી રે ભ્રમણાઓ ભાગી…. મને અંતરદેશી……
———————————————————————-
(રાગઃ જોજો રે મારી ગીતા રે માતા)
ખોલજો રે અંતરના દ્વાર ખોલજો,
અંતરદ્વાર ખોલોતો ઓહમ સોહમ બોલજો…..ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
સત્યના ત્રાજવેથી સત્ય ધર્મ તોલજો,
સત્ય ધર્મ તોલોતો હું પદને છોડજો….ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
નિજ સ્વરુપે નિજાનંદની લ્હેરીમાં ફરજો,
વિનયવાણીનાં પુષ્પો સંતોમાં વેરજો…….ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
તનમાત્રાના તળીયે તુરીયાતિતને જગાવજો,
ચુંથારામ સદ્દ્ગુરુની શાને સમજી જાજ્યો…..ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
———————————————————————-
(રાગઃ અંતરપ્રીતિ લાગી કનૈયા મળવા વ્હેલો આવજે )
માનવતા જાળવવી હોયતો નીતિ રીતિ પાળજ્યો,
સજ્જનતા જાળવવી હોયતો વિવેક બુદ્ધિ રાખજ્યો,
ભક્તપણું જાળવવું હોયતો વાણીને વશ રાખજ્યો,
સંતપણું જાળવવું હોયતો મોહમમતાને ટાળજ્યો,
કર્તા અકર્તા રહેવું હોયતો જળકમળવ્રત ચાલજ્યો,
જીવનમુક્ત બનવું હોયતો દેહભાવ્ને છોડ્જ્યો,
ચુંથારામ ગુરુમુખી બનવું હોયતો આત્મ દ્રષ્ટી જોડજ્યો
———————————————————————-
(રાગઃ ચાંદલીયો ચાલે ઉતાવળો, ચાંદરણી તારાને સાથરે)
અગમની ગમ જાણે જ્ઞાની રે જ્ઞાનીતો અનુભવાર્થી હોય રે
જ્ઞાની તો વાંચે ફરી ફરી ખોટ કે કસર હોય શાની રે
જ્ઞાની જાગે ધ્યાનમાં લાગે નિજપદમાં સુરતા ઠહેરાણી રે
વિષયથી વિરક્ત દેખી લ્યો સંત ના હોય માની કે તાની રે
જ્ઞાની બોલે જુઠું ના છોલે ગુરુમુખી જ્ઞાનીની એંધાણી રે
દ્રશ્ય કલ્પનાઓ દુર કરે ચુંથારામ સ્વ સ્વરુપમાં સમાય રે

- શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ

આજની પ્રેમિકાઓની વ્યથા-કથા..

January 21st, 2010

(મંદાક્રાંતા છંદ રાગ)

જો-જો કેવા ધતિંગ કરશે પ્રેમિકા જાણીજોઇ,
પ્રેમિ બળશે એવી મુંઝવણે કરિ મેં ભુલ કાંઇ!?
મોહ મચકોડે આંખો અગનની જલતી ધૂ-ધૂ મશાલો,
જાણે ફુટશે મુખ-કમળથી ગાલીયું બે-ચાર કોઇ,
આજે આવ્યો મોડો પાછો,ફૂલ પણ ગયો ભુલી,
કાલે મારો મિસ્ડ કોલ જોઇ કોલ ના કર્યો ફરી,
આવો કેવો પ્રેમ તારો એવી ફરિયાદ એની..

(અનુષ્ટુપ છંદ રાગ)

ફરી જો મોડો પડ્યો,કે કોલ-બેક ના કર્યો,
ફૂલ જોડે ચોકલેટ પણ આપવી પડશે પછી,
આખરી આ ચેતવણી,ત્રીજી વાર મને મળી,
તોય ખાતરી મારી કે મળશે હજી ઘણી-ઘણી..

(મંદાક્રાંતા છંદ રાગ)

ભુલો આવી અક્ષમ્ય કરીને,ઉભો હું નિર્લજ્જ જેવો,
એની એવી ચીઢ એને કે,પ્રાયશિત કરાવી લેવો,
નહિ તો ભવિષ્યે વંઠી જાશે,માનશે ના વાત કોઇ,
કોફી સાથે શોપિંગ કરાવજે,તો જ જાશે પાપ ધોઇ..

(અનુષ્ટુપ છંદ રાગ)

ડિનર તો બહાર કરીશું પણ,આઇસક્રિમ ખવડાવજે હની,
વારંવાર કહેજે લવ યુ,જુદાં પ્રેમ-શબ્દો ભણી,
આપણા ડેટ ની આ વાતો,બીજાં ને કરતો નહિ,
બીજાં કોઇ જાણશે જો,ભુલો કેવી તે કરિ!!
કહેશે મને સજા કરવાં,હજી થોડી આકરી..

-ચિન્મય જોષી.

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી

January 20th, 2010

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

પાસી જુઓ કૈં ગયું તો નથી ને ?

January 18th, 2010

પાસી જુઓ કૈં ગયું તો નથી ને ?
તપાસી જવાનું રહ્યું તો નથી ને ?

ભલે વર્ષ વીતી ગયાં હોય ઝાઝાં,
થવાનું હતું તે થયું તો નથી ને ?!

મને એમ કે આ બધું છે બરાબર,
ભલા, એ જ શંકાભર્યું તો નથી ને ?

મને પુર્ણ વીશ્વાસ મારી વ્યથા પર,
તમે આંગણે ડગ ભર્યું તો નથી ને !

મુકે આંગણું તે જવાનું, જવાનું –
નદીને કશું કૈં કહ્યું તો નથી ને ?

વ્યથા પર્વતોની કશી સાગરોને,
વીદાઈતણું કૈં સહ્યું તો નથી ને !

ગઝલમાં કશી આગ ક્યાંથી જગાડું,
દરદ એટલું ઉદ્ ભવ્યું તો નથી ને !

– જુગલકીશોર

ગજબ નો ધંધો

January 17th, 2010

મૈ શાયર તો નહી…

January 15th, 2010

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books