લખાવો મને !

વાપરો કળ ને બનાવો મને !
લાશ છું હું, બસ તરાવો મને!

એમ બનતી હોય જો આ ગઝલ,
લો કલમ- કાગળ, લખાવો મને !

સત્ય કહેવું જો ગુનો હોય તો
,
લો શુળીએ પણ ચઢાવો મને.

જિંદગીએ બહુ રડાવ્યો મને,
હું ભૂલ્યો હસવું, હસાવો મને.

સાદગીમાં જિંદગી થઇ પુરી,
ના હવે દોસ્તો સજાવો મને.

- રાકેશ ઠક્કર

This entry was posted on Thursday, November 5th, 2009 at 2:52 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “લખાવો મને !”

  1. paulinshah Says:

    vaah ! kub sundar gazal…
    આ ટોળાઓ ની ભીડ મા, હુ એકલતા નો મેળો સજાવુ…..

  2. જ઼ૈમિન - “બદનામ” Says:

    ખૂબ સુંદર….

Leave a Reply