ગઝલના શેર છે !

માનવીને માનવીમાં ફેર છે,
લાગણી સાથે મગજને વેર છે.
અંતમાં અસબાબ જોયો તો મળ્યા,
માલ- મિલ્કત બસ ગઝલના શેર છે !
કોણ સમજે લાગણીનું મૂલ્ય પણ?,
દોડતું ને ભાગતું આ શ્હેર છે.
આપણાં માન્યાં હતાં જેને સદા,
એ જ આખર નીકળ્યા તો ગેર છે.
જિંદગી આ જીવવાની ને પછી-,
શિવ કહેશે? શું ખરેખર ઝેર છે.

- રાકેશ ઠક્કર

This entry was posted on Thursday, October 15th, 2009 at 2:10 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “ગઝલના શેર છે !”

  1. darshin Says:

    waah bahut khub!!!

  2. જ઼ૈમિન - “બદનામ” Says:

    લાગણી સાથે મગજને વેર છે….આપણાં માન્યાં હતાં જેને સદા,
    એ જ આખર નીકળ્યા તો ગેર છે….ભૂતકાળ યાદ કરાવી દીધો તમે..સુંદર, ખૂબ સુંદર….

  3. dr.p.k.joshi Says:

    truth of life in few lines

Leave a Reply