ગઝલના શેર છે !
માનવીને માનવીમાં ફેર છે,
લાગણી સાથે મગજને વેર છે.
અંતમાં અસબાબ જોયો તો મળ્યા,
માલ- મિલ્કત બસ ગઝલના શેર છે !
કોણ સમજે લાગણીનું મૂલ્ય પણ?,
દોડતું ને ભાગતું આ શ્હેર છે.
આપણાં માન્યાં હતાં જેને સદા,
એ જ આખર નીકળ્યા તો ગેર છે.
જિંદગી આ જીવવાની ને પછી-,
શિવ કહેશે? શું ખરેખર ઝેર છે.
- રાકેશ ઠક્કર
November 24th, 2009 at 8:45 am
waah bahut khub!!!
December 10th, 2009 at 10:51 pm
લાગણી સાથે મગજને વેર છે….આપણાં માન્યાં હતાં જેને સદા,
એ જ આખર નીકળ્યા તો ગેર છે….ભૂતકાળ યાદ કરાવી દીધો તમે..સુંદર, ખૂબ સુંદર….
October 21st, 2010 at 8:17 pm
truth of life in few lines