આજ

આજ મૌનનું બંધ શિવાલય ખૂલ્યું,
અંધકારનો સર્પ સરકતો
શંકરની ગરદનમાં,
નંદી હમણાં
ખરી પછાડી; પુચ્છ ઉછાળી
ધસી આવશે,
કરોળિયાનાં જાળાઓમાં
શિંગ ભરાતાં
ખચકાશે; અટવાશે,
ત્યારે
દેહ ઉપરથી
ભસ્મ ઉડીને પંથ ચીંધશે,
ઘંટારવની સૌરભ પ્રસરે કુંજે કુંજે,
આજ સકલ બ્રહ્માંડ શબ્દનું ઝૂલ્યું,
ખૂલ્યું ખૂલ્યું
આજ મૌનનું બંધ શિવાલય ખૂલ્યું.

-આદિલ મન્સૂરી

This entry was posted on Friday, July 24th, 2009 at 5:40 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply