તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.

વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.

ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

- આદિલ મન્સૂરી

This entry was posted on Tuesday, February 10th, 2009 at 4:47 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે”

  1. ડો.મહેશ રાવલ Says:

    aathi vadhare ,kavio mate shu kahi shakay?
    સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
    જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

    -khub j sundar ane samajva jevi GAZAL……..

  2. chirag nayak Says:

    VERY NICE

  3. Ria Says:

    umm i cant really understand it but my mom translates for me in english and i like it alot.

Leave a Reply