રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના

November 24th, 2008

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

- ધાયલ

3 Responses to “રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના”

  1. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  2. Prerak V Shah says:

    One of my most favourite poems. Let me complete it here…..

    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
    થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?

    નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
    બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!

    કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
    દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!

    છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!
    એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!

    મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
    પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!

    એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
    હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!

    સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
    સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!

    સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!
    દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!

    અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,
    ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!

    દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
    આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.

    અમૃત ‘ઘાયલ’

  3. Harsh says:

    Great!!!!!

    very nice poem.

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books