કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે

કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે,
તમે કહો તો કરું વાત અંધકાર વિષે.

ન કોઈ ડાળે રહસ્યોનાં પાંદડા ફૂટ્યા,
કળીના હોઠ ઊઘડતા નથી બહાર વિષે.

સતત થતા રહ્યા વચમાં મરણના ઉલ્લેખો,
ને વાત ચાલી હતી તારા ઈંતેઝાર વિષે.

બિચારો દર્દી કશું બોલતો નથી ને છતાં,
તબીબો ઝઘડે છે આપસમાં સારવાર વિષે.

હજીયે તાજા છે શબ્દોના સર્વ ઘા ‘આદિલ′,
હજીયે લોહી ટપકતું કલમની ધાર વિષે.

- આદિલ મન્સુરી

This entry was posted on Tuesday, November 11th, 2008 at 4:18 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે”

  1. tejas ghuntla Says:

    vah vah aadil vah arman halavi didha

  2. shivani Says:

    superb and reality

  3. RAMESH K. MEHTA Says:

    JUST SUPERB

Leave a Reply