ઈસુભાઈ ગઢવી ની સદાબહાર રચના
November 6th, 2008
પ્રિય મિત્રો
આજે ઈસુભાઈ ગઢવી ની એક સદાબહાર રચનાનો ઉલ્લેખ કર્યા વગર રહેવાતું નથી..
જો તમને ગમી હોય તો કંઠસ્થ કરી રાખશો.
અહીં ભાવનગરમાં તો આ રાષ્ટ્રગીત જેટલું પ્રચલિત છેઃ
———————————————
આવો તો સાજણ ,છુંદણાનો મોર કરી રાખું
જીવતરના વગડામાં આવી મળો જો તમે
શબરીનાં બોર જેમ ચાખું
છુંદણાનો મોર કરી રાખું
આવો તો સાજણ ,સમદરની છોળ્ય જેમ ભળીએ
આવો તો સાજણ ,અવની ને આભ જેમ મળીએ
એકાદું વેણ-શેણ પાળવાનું હોય તો આયખાની હોડ બકી નાખું
છુંદણાનો મોર કરી રાખું
આવો તો સાજણ ,પૂનમનું પાનેતર ઓઢું
આવો તો સાજણ ,ચંદરથી રૂપ કરુમ દોઢું
વાવડીયા મોકલો જો આવવાની દશ્યુંના તો ઊગાડું અંગ-અંગ પાંખું
- ઈસુભાઈ ગઢવી







ઈસુભાઈ ગઢવી
બહુ સરસ કામ છે.
શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
Please visit my blog :… http://gaytrignanmandir.wordpress.com