પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું

પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું,
દેહની આ દીવીમાં આમ જાત બાળું છું.

વ્યર્થ બધું ભુલાતું એ જ બળ બની જાતું,
ચોતરફ ભટકતું મન ભીતરે જ્યાં વાળું છું.

કોઈ વહે છે ખળખળ વીંટળાઈને હરપળ,
લોક એમ માને છે પાંપણો પલાળું છું.

શ્વાસ જે હતો ભીતર શબ્દ થઈ ગયો બાહર,
એક નરી ઝંઝાને લો ગઝલમાં ઢાળું છું.

જીત ના થતી મ્હારી છાપ નીકળતી ત્હારી,
શ્વાસ કોઈ સિક્કાની જેમ જ્યાં ઉછાળું છું.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

This entry was posted on Monday, October 20th, 2008 at 2:31 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply