થઈ ગયો? – ‘મિસ્કીન’

સુખ ને દુ:ખના વર્તુળોની બહાર થઈ ગયો,
દરિયો થઈ ગયો હું, સ્વયમ પાર થઈ ગયો.

ભૂલી ગયો જો પ્રાર્થના-પૂજા પરોઢની,
તાજા કલમના વાસી સમાચાર થઈ ગયો.

એ પંખી બીજું કોઈ નહીં આ હૃદય હશે,
પીંછું ખરેલું જોઈને ચિત્કાર થઈ ગયો.

શબ્દોમાં કોણ મૂકી શક્યું સમજીને પૂરું,
એ મૌન થઈ ગયો જે સમજદાર થઈ ગયો.

મિસ્કીન એ ધબકતું હતું કોણ સાથમાં?
લાગે છે હવે કેમ નિરાધાર થઈ ગયો?

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

This entry was posted on Friday, September 5th, 2008 at 5:21 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply