નયનથી જો મળે નયન બે ઘડી

નયનથી જો મળે નયન બે ઘડી,
દિલમાં કોઈના ઉતરાય છે.

આંખો હોય જો કોઈની દર્પણ સમી,
અંતરના બધા ભેદ કળાય છે.

અંશ મળે જો એ નેત્રોમાં પ્રેમ તણો,
કઈક સરિતાઓનાં વ્હેણ રચાય છે.

જાત હશે જો એ કોઈ પરમ તણી,
વાત દરિયાની કરી છલકાય છે
.
પામી એ સરીતા પંથ સાગર ભણી,
જો જો તો ખરા કેવી મલકાય છે.

-ભૂમિ

This entry was posted on Tuesday, August 12th, 2008 at 9:59 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “નયનથી જો મળે નયન બે ઘડી”

  1. વિશ્વદીપ બારડ Says:

    પામી એ સરીતા પંથ સાગર ભણી,
    જો જો તો ખરા કેવી મલકાય છે. sunadar.

  2. shaikhprince Says:

    http://gujaratikavita.wordpress.com/ is Best

Leave a Reply