મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?

મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?
મારોય એક જમાનો હતો કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દીવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે?

માની રહ્યું છે જેને જમાનો જીવનમરણ
ઝઘડો એ ‘હા’ ને ‘ના’ નો હતો કોણ માનશે?

મસ્તીમાં આવી ફેરવી લીધી જગતની આંખ,
એ પણ સમય નશાનો હતો કોણ માનશે?

હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે?

રુસ્વા કે જે શરાબી મનાતો રહ્યો જગે,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે?
 
- રૂસવા

This entry was posted on Monday, July 28th, 2008 at 5:42 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?”

  1. Chandni Says:

    really very touchy lines

  2. Nainesh Says:

    saras… man ne sparshi jay tevi bhavna ruju kari che..

Leave a Reply