દરેકને મંજીલ નથી મળતી

આ દુનિયામા હર કોઇને ગમતી વસ્તુ નથી મળતી.
મળવા ખાતર મળી જાય છે બધુ,મન ને શાંતિ નથી મળતી.

કોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય છે,
પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી.

જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી.
મનમા અવિરત તરવરતી હોય છે, એ આક્રુતિ નથી મળતી.

પ્રેમમાં મળી તો જતા હોય છે મન,પણ નસીબની રેખા નથી મળતી.
ચાલી નીકળે છે બધા પ્રેમના માર્ગે પણ, દરેકને મંજીલ નથી મળતી.

- aatma

This entry was posted on Thursday, July 17th, 2008 at 2:48 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply