એક વાર્તા કહીશ

દુ:ખ અને સુખ હું તને એક વાઘની વાર્તા કહીશ. આ વાઘને આખી રાત તારા પડખાની સુગંધમાં સૂઈ રહેવું છે.

હું તને એક નાગની કથા કહીશ. આ નાગને પ્રત્યેક પળે તારા સ્તનના વર્તુળને વીંટળાતા વીંટળાતા વિસ્મયભર્યો પ્રવાસ કરવો છે અને તને એની કથા કહેવી છે કે આ એક એવો પ્રવાસ છે કે એ કયાંય પણ લઈ જાય અને પછી પાછા વળવાનો રસ્તો રહેતો નથી.

હું તને એક મગરની વાર્તા કહીશ. આ મગર તને ઉપલા હોઠથી ખેંચશે અને અંદર ને અંદર ડૂબશે ઊંડા ઊંડા પાણીમાં ઠેઠ ઊંડા ઊંડા પાણીમાં. આ બધી જીવનભરનાં સુખદુ:ખની વાતો કહેવી છે આંસુથી.

- બુદ્ધદેવ દાસગુપ્તા

This entry was posted on Monday, July 7th, 2008 at 6:42 am and is filed under General. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply