સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?

સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?
ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.

 

‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,
’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.

થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.

બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો,
એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ.

સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ,
તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ.

થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ,
અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ.

‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી !
પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ…

ડૉ.વિવેક મનહર ટેલર

This entry was posted on Monday, June 23rd, 2008 at 5:32 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses to “સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?”

  1. jayeshupadhyaya Says:

    ‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી !
    પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ…
    આફ્રીન

  2. ashutosh Says:

    થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
    જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.

    well done,Dr. vivek,
    you have hit it on the head..
    main problem begins when the trust factor vanishes.

  3. Pravin Shah Says:

    vivekbhai,
    this is very nice gazal!
    i like the lines:
    ‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,
    ’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.

  4. bhavesh b rana Says:

    i dont like this plaes think more for real setisfection

Leave a Reply