એ રીતથી છવાઇ ગયા છે ખયાલમાં

એ રીતથી છવાઇ ગયા છે ખયાલમાં ;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગુ નથી,
નહિતર હું કંઇક ભૂલ કરત બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહી સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઇતી’તી ઉતાવળ સવાલમાં.

- મરીઝ

This entry was posted on Wednesday, June 18th, 2008 at 5:15 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “એ રીતથી છવાઇ ગયા છે ખયાલમાં”

  1. bhavesh lodariya Says:

    wah gujrat na galib wah……sache j mariz adbhut hata

  2. chetna bhagat Says:

    bahuj saras..aa wanchi ne mane gujrati howa no garw thay chee.. !!!

Leave a Reply