દુ:ખ જ નહી, દુખાવો પણ દૂર કરે છે શરાબ
શરાબનું સેવન માત્ર િદલ માટે જ નિહ પરંતુ હાડકાનાં સાંધા માટે પણ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન આર્થરાઈટીસના જોખમને પણ ઘટાડે છે. આ વાત એક નવા અભ્યાસના પરીણામે બહાર આવી. સ્વીડનમાં કેરોલિંસ્કા ઈસ્ટિટ્યૂટના અભ્યાસકર્તાઓને અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે આલ્કોહોલ શરીરમાં ઈનફ્લેશન અટકાવીને સાંધાના દુખાવામાં રાહત અપાવે છે.
રેડ વાઈનની માફક શરાબ પણ દિલના દુખાવામાં અક્સીર સાબિત થાય છે. અભ્યાસકર્તાઓ અનુસાર શરાબનું વ્યસન છોડનારાઓને સાંધાના દુખાવાની ફરીયાદ વધી જાય છે, જે શરાબના સેવનથી સમયાંતરે ઘટી જાય છે. અન્ય એક સમાચારપત્રમાં છપાયેલા રિપોર્ટ અનુસાર વ્યક્તિ એક અઠવાડિયામાં પાંચ કે તેનાથી વધારે વખત આલ્કોહોલનું સેવન કરે તો તે ફાયદાકારક સાબિત થાય છે. અભ્યાસકર્તા હેનરિક કોલબર્ગ અનુસાર તેમના પરીણામો એ શક્યતાઓ તરફ અંગૂલિનિર્દેશ કરે છે કે આલ્કોહોલ સાંધાના દુખાવા સામે રક્ષણ કરે છે.
સ્વીડિશ ટીમે આ પરીણામ સુધી પહોંચતા પહેલા બે મુખ્ય અભ્યાસકર્તાઓના પરીણામોનો અભ્યાસ કર્યો. જેમાં સ્કેડિનેવિયાના 2,750 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો અને તેમના પર સાંધાના દુખાવાના પર્યાવરણીય અને જેનેટીક જોખમો અંગે અભ્યાસ કરવામાં આવ્યો. પરીણામ સ્વરૂપ બહાર આવ્યું કે જે લોકો નિયમિત રીતે આલ્કોહોલનું સેવન કરે છે તેમને સાંધાના દુખાવાની ફરીયાદ ઓછી રહે છે.
જે લોકો દર અઠવાડિયે 5 વખત ડ્રિંક્સ લે છે તેમને આ બિમારીનું જોખમ 40 થી 50 ટકા ઘટી જાય છે. નોર્થ યૂરોપિયન દેશોના પુરુષો અને મહિલાઓમાં આ અસર સમાનરૂપે જોવા મળી. શરાબ છોડી દેનારાઓમાં જ્યાં આ રોગનું જોખમ થોડું વધી જાય છે, ત્યાં બીજી તરફ અઠવાડિયામાં 5 વખત શરાબનું સેવન કરનારાઓમાં આ રોગનું જોખમ ઘટી જતું જોવા મળ્યું.
Article Courtesy : Divyabhaskar.co.in
March 1st, 2009 at 8:52 am
article is very useful for those who drink usually.i expect much more about this. IT should also intimate how to drink rum, wine. whisky,ji, vodka, means with water,soda, or othe soft drink.which kind of brand useful for which kind of physical nature.sometime without knowing we just drink. but with knowledge or proper guidence is very useful. so please put here some details which i adversed here.