નીકળે કેટલા !

શબ્દ ઘૂંટયા બાદ નવલા અર્થ નીકળે કેટલા ?
અમથું ઊગે મૌન ત્યારે મર્મ નીકળે કેટલા !

દોસ્ત! સંબંધોનું ખોલી નાખ એકેએક પડ
લાગણીના જો પછી સંદર્ભ નીકળે કેટલા !

વીજ પડશે કે પછી વરસાદ પણ વરસી પડે
જોઈને એકાદ વાદળ, તર્ક નીકળે કેટલા !

બાણ વાગે તે પછી શાયદ અલગ પાડી શકો
કેટલા છે સાધુ ને કંદર્પ નીકળે કેટલા !

દોસ્ત કે’ કયાંથી ઉતરડીશું ત્વચાને આપણે?
કાંચળી ફેંકી સહજ આ સર્પ નીકળે કેટલા !

લિપિ ઉકેલાશે નહીં, તો પણ તપાસી જો જરા
ફૂલ પરથી ઓસભીના સ્પર્શ નીકળે કેટલા !

-છાયા ત્રિવેદી (divya Bhaskar)

This entry was posted on Friday, May 30th, 2008 at 2:49 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “નીકળે કેટલા !”

  1. jayeshupadhyaya Says:

    દોસ્ત! સંબંધોનું ખોલી નાખ એકેએક પડ
    લાગણીના જો પછી સંદર્ભ નીકળે કેટલા !
    વાહ ઘણુંજ સરસ

  2. mehul Says:

    nice. comes from directly heart.

Leave a Reply