ચર્ચા ન કર

વીતી ગયેલી પળ વિષે, ચર્ચા ન કર
સપના વિષે, અટકળ વિષે,ચર્ચા ન કર.

લોકો ખુલાસા માંગશે, સંબંધનાં
તેં આચરેલા છળ વિષે ,ચર્ચા ન કર.

ચર્ચાય તો ,ચર્ચાય છે સઘળું, પછી
તું આંસુ કે અંજળ વિષે ,ચર્ચા ન કર.

એકાદ હરણું હોય છે સહુમાં, અહીં
તું જળ અને મ્રુગજળ વિષે ,ચર્ચા ન કર.

જે સત્ય છે તે સત્ય છે, બે મત નથી
અમથી ,અસતનાં બળ વિષે ,ચર્ચા ન કર .

-ડૉ.મહેશ રાવલ

This entry was posted on Wednesday, May 28th, 2008 at 9:13 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply