માતા-પિતાની છત્રછાયામાં

હયાત માતા-પિતાની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો…

હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરના આિશવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો…

હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફ્રે…

લાખ કરશો ઉપાય, એ વાત્સલ્ય લહાવો નિહ્ મળે, પછી દીવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો…

માત-િપતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે, અડસઠ તીરથ એમનાં ચરણોમાં, બીજાં તીરથ ના ફરશો…

સ્નેહની ભરતી આવીને ચલી જશે પલમાં,પછી કીનારે છીપલા વીણીને શું કરશો…

હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજો, પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખશો…

પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહનાં અિસ્થને ગંગામાં પધરાવીને શું કરશો…

સ્ર્વ બનીને ઘડપણની લાકડી તમે બનજો, હેતથી હાથ પકડીને ક્યારેક તીથૉમાં સાથે ફરજો…

માતૃદેવો ભવ, િપતૃદેવો ભવ સનાતન સત્યછે, પછીસમનામ સત્ છે બોલીને શું કરશો…

પૈસા ખચૅતાં સઘળુ મળશે, માતા-િપતા મળશે નિહ્, ગયેલો સમય નિહ આવે, લાખો કમાઇ ને શું કરશો…

પ્રેમ હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નિહ્ મળે, પછી ઉછીનો પ્રેમ લઇને, આંસું સારીને શું કરશો…

- દિલિપ્ કુમાર શાહ

This entry was posted on Saturday, May 24th, 2008 at 4:23 am and is filed under gujarati quotes. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

6 Responses to “માતા-પિતાની છત્રછાયામાં”

  1. મનિષ મિસ્ત્રી Says:

    હયાત માતા-પિતા ની છત્રછાયામાં, વ્હાલપનાં બે વેણ બોલીને, નિરખી લેજો, હોઠ અડધાં બિડાઈ ગયાં પછી, ગંગાજળ મૂકીને શું કરશો?

    અંતરનાં આશિર્વાદ આપનારને, સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો. હયાતિ નહી હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો?

    કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહિં ફરે, લાખ કરશો ઉપાય તે વાત્સલ્ય લ્હાવો નહિં મળે, પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો?

    શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો, હેતથી હાથ પકડીને ક્યારેક તિર્થ સાથે કરજો, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે, પછી ‘રામનામ સત્ય છે’ બોલીને શું કરશો?

    પૈસા ખર્ચતાં સઘળું મળશે, મા-બાપ નહિં મળે, ગયો સમય નહિં આવે, લાખો કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નહિં મળે, પછી ઊછીનો પ્રેમ લઈને આંસુ સારીને શું કરશો?

  2. Ramesh Patel Says:

    શું કરશો?
    અંતરનાં આશિર્વાદ આપનારને, સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો. હયાતિ નહી હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો?

    very effective and full of
    feelings.
    Congratulation for such poem
    showing way to this world.

    Ramesh Patel(Aakashdeep)

  3. અવધેશ દિલિપ્ કુમાર શાહ Says:

    આ રચના મારા પિતા શ્રી નિ છે. તો મહેરબાનિ કરિને નામ એડ કરો.

  4. gujaratikavita Says:

    જાણ કરવા બદલ ખુબ ખુબ આભાર અવધેશ…

  5. Jitendra Narayanbhai Barot Says:

    Jai mataji,

    very nice & beautiful truth you said.. It is true so please don’t miss the chance of our life. just maa baap ni seva kariye…who has given us the birth.

  6. pravin runaviya Says:

    i like it

Leave a Reply