વાયુને હંફાવવા બળ ના કરે

વાયુને હંફાવવા બળ ના કરે,
એ સુંગધી છે, કદી છળ ના કરે.

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.

સ્વપ્નને સંકેલવાની બાબતે,
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે.

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
એ ઝરણની જેમ ખળખળ ના કરે.

ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
ના ગમે તો વાત આગળ ના કરે.

- ચિનુ મોદી

This entry was posted on Thursday, May 22nd, 2008 at 6:03 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “વાયુને હંફાવવા બળ ના કરે”

  1. jayeshupadhyaya Says:

    ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
    ના ગમે તો વાત આગળ ના કરે.
    સરસ શેર દીવસ સુધરી ગયો

Leave a Reply