તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

- જલન માતરી

This entry was posted on Tuesday, April 29th, 2008 at 5:14 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી”

  1. harshi Says:

    શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
    કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
    ખુબ જ સરસ

  2. sandip Says:

    reaaly nice 1

Leave a Reply